શું તમે જીવનમાં થતી અથડામણો થી કંટાળી ગયા છો? શું તમને અચરજ થાય છે કે અથડામણો કેમ થતી હશે? તમારે ફક્ત રોજિંદા જીવન માં થતી અથડામણ નો ઉકેલ લાવવા નો નિશ્ચય કરવા નો છે. પરીણામ ગમે તે હોય. તમે સફળ થશો કે નહિ તેની ચિંતા કર્યા વગર, સંકલ્પ કરો કે લોકો સાથે ના રોજિંદા વ્યવહાર માં સમભાવથી ઉકેલ લાવવો છે. વહેલા મોડા તે થશે, આજે નહિ તો કાલે, નહિ તો પછી ના દિવસે; તેને કદાચ વર્ષો પણ લાગી જાય, તેનો આધાર તમારા કર્મો કેટલા ચીકણા છે તેની ઉપર છે. તમારી પત્ની,બાળકો અને માતા-પિતા સાથેના તમારા સંબંધો ગૂંચવણ ભર્યા હોઈ શકે છે તેથી તેનો સમભાવથી ઉકેલ લાવતાં વાર લાગશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "આત્મજ્ઞાન એ બધી અથડામણો થી મુક્તિ મેળવવાની ચાવી છે" "હવે તમારે બદલો લેવાની ભાવનાથી મુક્ત થવાનું છે, એ માટે તમે પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની ) પાસે આવો અને આત્મજ્ઞાન મેળવો તો તમે મુક્ત થશો. તમારે બધા વેરથી આ જ ભવમાં મુક્ત થવાનું છે અને હું તમને તેનો રસ્તો બતાવીશ. મનુષ્યનું જીવન આજે જંતુ જેવું થઇ ગયું છે. તેઓ સતત માનસિક દુઃખમાં છે. મનુષ્ય તરીકે જન્મ થયા પછી શા માટે માનસિક સંતાપ હોવો જોઈએ? આખું જગત ભઠ્ઠીમાં બફાઈ રહેલા શક્કરિયાની અવસ્થામાં છે, અને જો સંતાપ નથી, તો ત્યાં ભ્રાંતિ (મોહ)ની અવસ્થા વર્તે છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની)નું, અથડામણ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.
- New eBook additions
- Available now
- Most popular
- Try something different
- Resources for Library Staff
- Just Added
- Library Science
- See all ebooks collections
- Always Available Audiobooks
- 2024 AudioFile Earphones Awards
- Available now
- New audiobook additions
- Most popular audiobooks
- Try something different
- Just Added
- See all audiobooks collections